બે ગુમ બાળકોનાં તળાવમાંથી મૃતદેહ મળી આવ્યાં

Wednesday 04th December 2019 05:38 EST
 

ભાવનગરઃ બોટાદના લાઠીદડ ગામે રહેતા કિશન નવઘણભાઈ બોળિયા (ઉ. ૧૧) અને સંદીપ સવજીભાઈ વાવડિયા (ઉ. ૧૧) ૨૬મી નવેમ્બરે લાપતા બનતાં પરિવારજનો અને ગ્રામજનોએ બાળકોની શોધ આદરી હતી. ૨૭મી નવેમ્બરે સાળંગપુર રોડ પરના સ્વામીનરાયણ મંદિર પાસેના તળાવમાંથી બંને બાળકોનાં યુનિફોર્મ પહેરેલાં મૃતદેહ મળી આવ્યાં હતાં. જેની જાણ કરાતાં પોલીસ અને બાળકોનાં પરિજનો તળાવે દોડી ગયાં હતાં. તળાવ પાસેથી સાઇકલ પણ મળી હતી. બંને બાળકોનાં મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter