બે જૈન સાધુ વચ્ચે મારામારી પછી પોલીસ ફરિયાદ

Wednesday 14th December 2016 06:52 EST
 

પાલિતાણાઃ આરાધાના ધામમાં બિરાજમાન પાર્શ્વ કીર્તિસાગર મ.સા. તથા બનાસકાંઠામાં આવેલી ધર્મશાળાના વિરાગ સાગર મ.સા. વચ્ચે બનાસકાંઠા ધર્મશાળામાં પધરામણી બાબતે બોલચાલ વધતાં વિરાગ સાગરના ૨૦ જેટલા અજાણ્યા સાથીદારોએ કીર્તિ સાગરજીને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેનાથી જૈન સમાજ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે. આ ઘટનાની પાલિતાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પાલિતાણામાં હાજર જૈન અગ્રણીઓએ મૌન સેવ્યું છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter