બેટ દ્વારકાની બોટની જળસમાધિ

Wednesday 18th April 2018 06:42 EDT
 

દ્વારકાઃ બેટદ્વારકાથી નીકળેલી દ્વારકા બંદરની એક બોટની કચ્છના જખૌ બંદર નજીક દરિયામાં ૧૪મી એપ્રિલે જળસમાધિ થઈ હતી. માછીમારી કરીને પરત ફરતી બોટમાં કેપેસિટી કરતા વધારે માછી ભરવામાં આવી હતી. જેથી જખૌ બંદરે નજીક સમુદ્રમાં અચાનક જ એક બાજુ નમી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ બોટની જળસમાધિ થઈ, પરંતુ બાજુમાંથી અન્ય બોટનો સહારો મળતા સદનસીબે બોટમાં સવાર આઠ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter