જૂનાગઢઃ ઉનામાં ભાજપ સરકારના પ્રધાન ગોવિંદભાઇ પટેલ અને જસાભાઇ બારડે ૧૭ એપ્રિલે મટન માર્કેટનું લોકાર્પણ કર્યું હોવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા ડો. પ્રવિણ તોગડીયાએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપનાં નેતા મંદિરમાં જવાને બદલે મટન માર્કેટનું લોકાર્પણ કરે તે બાબત ચિંતાનો વિષય છે. કાશ્મીરી પંડિતોનાં પ્રશ્ને તેમણે સમગ્ર દેશનાં હિન્દુઓ તેમની સાથે હોવાનું જણાવી કાશ્મીરમાં જે પાકિસ્તાનીઓ વસે છે, તેમને પકડીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીએ લટકાવી દેવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે જમીન અધિગ્રહણ બિલ મામલે તેમણે વિહિપ ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું.