ભાવનગરના યુવાનને ફ્લાઈટમાં હાર્ટએટેકઃ સારવાર દરમિયાન મૃત્યુ

Wednesday 06th June 2018 06:39 EDT
 

ભાવનગરઃ ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ જગદીશભાઇને સારવાર આપી હતી અને ફ્લાઇટનું વડોદરા એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિગ કરવામાં આવ્યુ હતું.
ત્યારબાદ જગદીશભાઇને ૧૦૮ એમ્બ્યુલ્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ડોક્ટર્સે જગદીશભાઇને મૃત જાહેર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter