ભાવનગરમાં કોન્સ્ટેબલે ગુસ્સામાં ૩ દીકરાનાં ગળાં કાપી નાખ્યાં!

Wednesday 04th September 2019 06:30 EDT
 

ભાવનગરઃ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને તળાજાનો રહેવાસી સુખદેવ શિયાળનો પહેલી સપ્ટેમ્બરે પત્ની જિજ્ઞાબહેન સાથે ઘણા સમયથી અણબનાવ હતો. રવિવારે બપોરે સુખદેવ પત્ની અને બાળકો સાથે વરસાદમાં નહાવા ગયા હતા. વરસાદ રહ્યા બાદ ત્રણે પુત્રો ઘરે આવ્યાં પછી પત્ની સાથેના સામાન્ય ઝઘડામાં સુખદેવે ગુસ્સામાં પત્નીને રૂમમાં પૂરી દીધી અને ત્યાર બાદ છરી વડે ખુશાલ (ઉ. વ. ૭) ઉદ્ધવ (ઉ.વ. ૫) અને મનોનીત (ઉ. વ. ૭) એમ ત્રણેય પુત્રોનાં ગળા કાપી હત્યા કરી હતી. સંતાનોની હત્યા પછી સુખદેવે પત્નીને બહાર કાઢી હતી. ત્રણે બાળકોની લાશ જોઈને તેના પર આભ ફાટી પડ્યું અને તેણે આક્રંદ કરતાં પાડોશીઓને પણ ખબર પડી હતી.
મને પણ કેમ મારી ન નાંખી?
પાડોશીઓએ કહ્યું કે, જિજ્ઞાબહેન હૈયાફાટ રૂદન કરતા હતા અને બોલતા હતાં કે, હે ભગવાન એમણે મને પણ સાથે કેમ મારી ન નાંખી. હવે મારે જીવીને શું કામ છે? ઉલ્લેખનીય છે કે સુખદેવે જાતે જ પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો અને ગુનો કબૂલી પોલીસમાં હાજર થઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter