મકનસરના યુવાનની હત્યા પ્રકરણમાં વધુ ત્રણની ધરપકડ

Wednesday 03rd July 2019 07:48 EDT
 

મોરબી: મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં પોલીસમેન કિશોર છગન ગોલાણી અને જીઆરડીના જવાન હાર્દીક ઉર્ફે લાલો ડાયા બરાસરા અને કમલેશ ઉર્ફે કમા સુખદેવ દેગામાની ધરપકડ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. આ કેસમાં વધુ ત્રણ જણા સુરેશ બાબરિયા, મુકેશ ઉર્ફે મુકો પરમાર અને મહેશ પરમારની તાજેતરમાં ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter