મહાશિવરાત્રીના મેળાને મંજૂરી : ભાવિકોને મળશે પ્રવેશ

Friday 25th February 2022 08:54 EST
 
 

જૂનાગઢ: લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિકસમાન મહાશિવરાત્રીના મેળા પર બે વર્ષથી લાગેલું કોરોનાનું ગ્રહણ દુર થતા સત્તાવાર રીતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીનો મેળો ધામધૂમથી યોજવા માટે મંજુરી આપી દીધી છે. મેળાને મંજુરી આપતાની સાથે જ ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ છે.
ભવનાથમાં વર્ષોની પરંપરા મુજબ મહા વદ નોમ (આ વર્ષે ૨૫ ફેબ્રુઆરી)થી મહા વદ ચૌદશ (આ વર્ષે પહેલી માર્ચ) સુધીનો પાંચ દિવસનો મહાશિવરાત્રીનો મેળો છેલ્લા બે વરસથી કોરોના મહામારીને લીધે ભાવિકો માટે યોજાયો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter