માળિયામિંયાણા પાસે અકસ્માતમાં ૬નાં મૃત્યુ

Wednesday 01st May 2019 07:14 EDT
 

માળિયામિંયાણા: હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં હરિભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના મૃત્યુ નિપજ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter