મિલકતના અસંતોષમાં યુવાન દુકાનમાં ભડભડ સળગ્યો

Wednesday 22nd May 2019 07:10 EDT
 

વઢવાણ: સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતા અને માઇ મંદિર રોડ પર આદિનાથ નામની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના ગૌરાંગ કમલેશકુમાર દોશી ૧૫મીએ તેની દુકાનમાં શરીર પર પેટ્રોલ છાંટીને સળગી ઉઠ્યા હતા. તેમની મરણચીસો અને દુકાનમાં આગ લાગ્યાનું જણાતા આસપાસના વેપારીઓ અને સેવાભાવી યુવકો દુકાને ભેગા થઈ ગયા હતા અને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં જણાયું કે, પિતાએ મિલકતના ભાગમાં મનગમતું મકાન ન આપતાં યુવાને આ પગલું ભર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter