મુખ્ય પ્રધાન દ્વારા ૨૧ નવવધૂઓને ગાય સાચવવાના સંકલ્પ લેવડાવાયા

Wednesday 25th April 2018 07:57 EDT
 

જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં વતન ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે ૧૯મી એપ્રિલે લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક નવયુગલોને કરિયાવરમાં ૧-૧ ગાય આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાને નવવધૂઓને આ ગાયને સાચવવાનાં સંકલ્પ લેવડાવ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં કરિયાવરમાં આપવામાં આવેલી પ્રત્યેક ગાય રૂ. ૧-૧ લાખની કિંમતની છે. ૭ નવદંપતીઓને આ ગાય અપાઇ હતી. જ્યારે આગામી દિવસોમાં બાકીનાંને પણ ગાય અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter