પોરબંદર: રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં લગ્નપ્રસંગ સમયે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના અનેરા દર્શન થયા હતા. મુસ્લિમ પરિવારના સુલેમાનભાઈની દીકરીના તાજેતરમાં નિકાહ હતા. આ પ્રસંગે મહેર સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો અને દીકરીને મહેર સમાજ તરફથી મામેરું પણ કરાયું હતું. સુલેમાનભાઈની દીકરીએ પરંપરાગત મહેર પહેરવેશમાં મામેરું સ્વીકાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ મહેર સમાજમાં લગ્નપ્રસંગ યોજવામાં આવ્યો હતો ત્યારે સુલેમાનભાઈએ પણ હિન્દુ રીત-રિવાજ મુજબ માનેલા ભાણેજોને મામેરું આપ્યું હતું. ખંભાળામાં ૮૦ ટકા વસતી મહેર સમાજની છે અને ઘણાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ ગામમાં રહે છે.