મોરબીમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઇલ્સનું શૌચાલયમાં લગાવવા ઉત્પાદન

Wednesday 27th February 2019 06:34 EST
 
 

મોરબીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો આતંકવાદના પૂતળાનું દહન કરીને કે રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોરીને મુર્દાબાદના નારા લગાવીને વિરોધ નોંધાવી રહ્યાાં છે. ત્યારે મોરબીમાં એક સિરિમિક ફેકટરિમાં પાકિસ્તાન ધ્વજ અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને ટાઇલ્સનું ઉત્પાદન કર્યું છે. જેનો વીડિયો વાયરલ થયો છે.મોરબીમાં સ્થિત એક સિરામિક ફેક્ટરીમાં સીઆરપીએફનો જવાનો પર થયેલા આતંકી હુમલાને લઈને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યાો છે. આ ફેક્ટરીમાં પાકિસ્તાનના ધ્વજ અને પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સ બનાવાઈ છે. જે ટાઇલ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter