યુકેવાસીનું હોસ્પિટલ માટે માતબર દાન

Monday 09th March 2015 08:30 EDT
 

રાજકોટઃ વિદેશવાસી રહેવાસીઓ વતનમાં વિવિધ સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપીને માનવતા મહેકાવતા હોય છે.શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ માટે યુકે-લેસ્ટરસ્થિત શ્રી જલારામ ફરસાણના સ્વ. બાબુલાલ વલ્લભદાસ મોરઝરીયા પરિવાર તથા રમેશભાઈ પાબારીએ બે ડાયાલિસીસ મશીન પ્રતિ કુલ ૧૦ લાખ ૫૦ હજારનું રોકડ યોગદાન આપેલ છે. હોસ્પિટલથી પ્રભાવિત થઈને આશાબહેને રૂ. ૫ લાખ ૫૦ હજારનું બાઈનોક્યુલર માઈક્રોસ્કોપ મશીન આપવાની જાહેરાત કરી હતી. સંસ્થાને ચેરમેન ભૂપેન્દ્રભાઈ સચદેએ કરી હતી. એટલે કે કુલ રૂ. ૧૬ લાખનું માતબર અનુદાન મળેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter