રાજુલા પાસે માર્ગ અકસ્માતમાં બેનાં મૃત્યુ

Wednesday 08th August 2018 06:51 EDT
 

રાજુલાઃ હંડોરણા જતા માર્ગ પર ટ્રક અને મેજીક વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. ત્રણને ગંભીર અને ૪ લોકોનું સામાન્ય ઈજા થઈ હતી. જાફરાબાદ તરફથી બીજી ઓગસ્ટે સાંજના ૧૨ પેસેન્જર ભરીને મુસાફરી કરતા વાહનને રાજુલા તરફ જ આવી રહેલી સિમેન્ટ ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ વાહનોમાં મસાફરી કરતા જાફરાબાદના રમેશભાઈ શિયાળ (ઉ. ૩૦) અને એક પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે કરમચંદ જયલાલ યાદવ (ઉ. ૩૦), વિજયશંકર તુલસીદાસ (ઉ. ૨૬), સત્યપ્રકાશ કવિદાસ (ઉ. ૨૧) એમ ત્રણ પરપ્રાંતીય યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. સિમેન્ટ ટ્રકમાં સવાર બેનાબહેન શિયાલ, તમીરાબહેન રફિકભાઈ, રફિકભાઈ તથા હનીમાબહેનને સામાન્ય ઈજા થઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter