રૂપાણીને પડકાર ફેંકનારા રાજ્યગુરુનું કોંગ્રેસને બાય બાય

Wednesday 27th June 2018 10:40 EDT
 
 

ગાંધીનગરઃ ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. સોમવારે આ જાહેરાત કરતા રાજ્યગુરુએ રાજીનામા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કાર્યપદ્ધતિને જવાબદાર ગણાવી છે. આ સાથે જ રાજ્યગુરુએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કદી ભાજપમાં જોડાશે નહીં. રાજ્યગુરુના રાજીનામાના પગલે શહેર-જિલ્લા કોંગ્રેસના ૪૦થી વધુ હોદ્દેદારે પણ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે.
રાજ્યગુરુએ જણાવ્યું કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કામ કરવાની પદ્ધતિથી તેઓ નારાજ છે. આ અંગે રાહુલ ગાંધી સિવાય તમામ મોટા નેતાઓને તેમણે રજૂઆત કરી હતી પરંતુ બધાએ એમ કહીને વાત ઉડાવી દીધી હતી કે, કોંગ્રેસમાં આમ જ ચાલશે. નિરીક્ષકોએ પણ કાર્યપદ્ધતિમાં કોઈ સુધારો નહીં થાય તેવો જવાબ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter