લેઉઆ-કડવા પટેલ એક બને તે માટે રાજ્યમાં પ્રથમવાર સંયુક્ત પસંદગી મેળો

Friday 03rd April 2015 08:20 EDT
 

રાજકોટમાં પ્રથમવાર લેઉવા-કડાવા પટેલોનો અનોખો પસંદગી મેળો યોજાઇ રહ્યો છે. પાટીદાર સમાજમાં એકતા લાવવા અને એકતાની સુવાસ ફેલાવવના માનવ કલ્યાણ મંડળ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત લેઉઆ-કડવા પટેલ સમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થયું છે. રાજકોટમાં આ અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ અંગે માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજા કહે છે કે, ઝડપી યુગમાં યુવક-યુવતીના સગપણ કરાવવા માટે કોઈ પાસે સમય નથી. સામાજિક કાર્યોમાં વડીલો પણ ઓછો રસ દાખવે છે, ત્યારે વેરઝેર ભૂલી લેઉઆ પટેલ-કડવા પટેલ એક બની ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારના પરિચય મેળાનું આયોજન થઈ રહ્યું છે. આના થકી આત્મિયતા વધે અને બંને પરિવાર નજીક આવે તે મુખ્ય ઉદ્દેશ છે. સુરતના પદ્મશ્રી મથુરભાઈ સવાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter