વૃદ્ધનો મૃતદેહ બગીચાના બાંકડા પરથી મળ્યો

Monday 27th January 2020 05:29 EST
 

રાજકોટ: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી જાન્યુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા પછી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી જોકે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધનું ઠંડીને કારણે મોત થયાની પોલીસને આશંકા છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter