વેરાવળના રામપરામાં વીજકરંટથી ૩ લોકોનાં મૃત્યુ થયાં

Wednesday 01st August 2018 08:11 EDT
 

વેરાવળઃ રામપરા ગામે વાડી વિસ્તારમાં ૨૮મી જુલાઈએ બપોરે વીજ કનેકશન માટે થાંભલો ઉભો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરો અને વાડી માલિકના પરિવારના બે યુવાનો કરતા હતા ત્યારે વીજ થાંભલો નમીને બાજમાંથી પસાર થઈ રહેલા ૧૧ કે.વી.ની લાઈનમાં અડી જતાં શોર્ટ સર્કિટમાં મજૂર અને વાડી માલિકના બે યુવાનોનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં. જ્યારે અન્ય બે લોકોને શોર્ટ લાગતા સારવારમાં ખસેડાયા હતા. મૂળીબેન નાથાભાઈ જાદવની વાડીએ ઘટનામાં આદમ યસુફ સમા (ઉ.૨૪) તથા વાડી માલિકના પરિવારના રોહિત નાથા જાદવ (ઉ.૧૮) અને વિજય માલદે ચાવડા (ઉ.૧૯)ના મૃત્યુ થયાં હતાં. જ્યારે જીજ્ઞેશ સોલંકી (ઉ.૧૯) અને અબ્બાસ સાયલી (ઉ.૨૦)ને પણ કરંટ લાગતા સારવાર માટે ૧૦૮ સેવાના ઉપયોગથી હોસ્પિટલે ખસેડ્યા હતા. આ ઘટનાના પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter