શિવરાત્રીએ સાડા ત્રણ લાખ ભાવિકોએ સોમનાથનાં દર્શન કર્યાં

Wednesday 06th March 2019 06:04 EST
 
 

સોમનાથઃ મહાશિવરાત્રીએ પ્રભાસ ક્ષેત્ર જાણે શિવમય બન્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો હતો. સોમનાથદાદાના દર્શનનો સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોએ લાભ લીધો હતો. મંદિર પરિસરમાં દાદાની પાલખીયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત વેરાવળથી સોમનાથ સુધી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા ભોય સમાજ દ્વારા યોજાઈ હતી. મંદિરમાં ૨૮ ધ્વજારોહણ થયા હતા. દાદાને ૫૦૦ કિલો ફૂલોનો ભવ્ય શૃંગાર કરાયો હતો. શૃંગાર દર્શનનો લહાવો લઈ ભાવિકો ભાવવિભોર બન્યા હતા. રાત્રે ૧૨-૩૦ વાગ્યે ભવ્ય મહાઆરતીમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter