સતાધારના મહંત જીવરાજબાપુનું ટૂંકી બીમારી બાદ અવસાન

Wednesday 21st August 2019 08:11 EDT
 
 

વિસાવદર: સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે ૧૯મી ઓગસ્ટે રાત્રીના સાડા દસ વાગ્યા પછી નિધન થયું છે. બાપુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ અને બ્લડ પ્રેશરની બીમારી સબબ સારવાર હેઠળ હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહીં. બાપુના નિધનના સમાચાર વાયુવેગે સેવકગણમાં ફેલાતા શોકનું મોજું ફરી વળ્યું છે. સતાધારના મહંત તરીકે જીવરાજબાપુ ગુરુ શામજીબાપુ સતાધારની જગામાં ૧૯૮૨થી મહંત તરીકે સેવા આપતા હતા. આપાગીગાના નામે ૨૪ કલાક હરિહરની હાકલ પડતી હતી. જે આજે પણ ચાલુ છે. બાપુના નિધનના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં રાત્રિના જ સેવક સમુદાય બાપુના અંતિમ દર્શન માટે સતાધાર પહોંચી રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter