અમદાવાદઃ અમરેલીમાં રહેતી સગીરા સાથે નરોડામાં રહેતા માસીયાઈ ભાઈ પીયૂષ લાલજી જાદવ અને તેના પાંચ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ સુસાઈડ નોટ છોડીને આપઘાત કર્યો હતો. પોલીસમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પીયૂષ લાલજી જાદવની ધરપકડ કરી રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી હતી. એ પછી પોલીસે અડતાળા ગામના ઉદય દીલુ વાળા, વિસાવદરના સરસાઈના ધર્મગીરી ઉર્ફે ધર્મ ભગુ વાળા, અમરેલી ઉર્વિક જીતેન્દ્ર ત્રિવેદી અને અમરેલીના સરદારનગરમાં રહેતા ઉમંગ જયસુખ ગોંડલિયાની ધરપકડ કરી હતી. પોલીસે ચારેયનું તબીબી પરીક્ષણ કરાવવાની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.