સાવરકુંડલામાં કુલ્ફી ખાધા બાદ ૫૬ બાળકોને ફૂડ પોઈઝનીંગ

Wednesday 04th September 2019 06:29 EDT
 

સાવરકુંડલાઃ ખાદી કાર્યાલય વિસ્તાર અને મોમાઈ પરા વિસ્તારમાં લારીમાંથી કેન્ડી-કુલ્ફી ખાધા બાદ બાળકોની તબિયત બગડી હતી. ૫૬ જેટલા બાળકોની તબિયત નાદુરસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ ડોકટર પર ચાલતી હોસ્પિટલમાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને જાણ કરતા અમરેલી જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાનગી તબીબોને  બોલાવીને બાળકોને સારવાર કરવામાં હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter