સુરેન્દ્રનગરમાંથી ટિકિટ કપાતા ફતેપરા આક્રમક થયા

Wednesday 27th March 2019 06:19 EDT
 

ગાંધીનગરઃ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી ભાજપે નવો ચહેરો એવા ડો. મુંજપરાના નામની જાહેરાત કરી દીધી છે. સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તે ભાજપ સામે લડાયક મૂડમાં આવી ગયાનું જાણવા મળે છે. તેમણે પૂર્વ પ્રધાન જયંતી કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલ સામે આક્ષેપ કર્યો છે કે, આ બે પાટીદાર નેતાઓએ જ મારી ટિકિટ કપાવી છે.

આ ઉપરાંત તેમણે જિતુ વાઘાણી સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મારી પર ચેક રિટર્ન થવાનો કેસ છે તેવો જ કેસ જિતુ વાઘાણી સામે છે તો પણ તેમની સામે પગલાં કેમ ન લેવામાં આવ્યાં. આગામી સમયમાં સમાજના આગેવાનો અને ચૂંટાયેલા લોકો સાથે તેઓ બેઠક કરીને કોંગ્રેસમાં જોડાવું કે નહીં તે અંગે ચર્ચા કરીશ. હાલમાં કોઈ કોંગ્રેસના નેતાના સંપર્કમાં ન હોવાનું તેમણે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter