સોનલધામ મઢડામાં બનુઆઇને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ

Thursday 24th February 2022 08:54 EST
 

કેશોદ: તાલુકાના સોનલધામ મઢડાના ગાદીપતિ પૂ. બનુઆઇના અંતિમ દર્શન માટે ૧૬ ફેબ્રુઆરીે શ્રદ્વાળુઓ, ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા. બપોર બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ આપવામાં આવતા ઉપસ્થિતોની આંખો ભીની થઇ હતી. સોનલધામ મઢડા આઇ સોનલમાનું જન્મસ્થળ અને ચારણ - ગઢવી સમાજ ઉપરાંત અન્ય સમાજનું આસ્થા સ્થળ છે. આઇ સોનલમા દેવલોક પામતા તેમનાં સગા બહેન બનુઆઇને ગાદીએ બેસાડાયા હતા. તેઓ ૧૪ ફેબ્રુઆરીએ સાંજે ૯૪ વર્ષની જૈફ વયે દેવલોક પામ્યાં હતાં. સમાધિ વિધિ બાદ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આઇ કંચનમાને સોનલધામ મઢડાના આઇમા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આઇ બનુમાની વિદાય દેશ-વિદેશમાં વસતા
માઇ ભક્તોએ દુઃખ વ્યક્ત કરી શ્રદ્વાંજલિ અર્પી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter