વેરાવળઃ વિશ્વ પ્રસિદ્ધ અને ભારતનાં ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવનું મંદિર હવે રાતનાં ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અત્યાર સુધી મંદિર સાડ નવ વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું હવે તેને બદલે ભક્તોના ધસારાને લીધે મંદિર અડધો કલાક વધારે સમય ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. વાર-તહેવારે, શિવરાત્રી કે શ્રાવણનાં સોમવારે મંદિર સવાર ૬ વાગ્યાને બદલે સવારના ચાર વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ખોલાશે.