સૌરાષ્ટ્રની ૩ ફિશિંગ બોટ સાથે ૧૮ માછીમારોનાં અપહરણ

Wednesday 11th December 2019 05:48 EST
 

પોરબંદરઃ આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોનાં પાકિસ્તાન મરિન દ્વારા અપહરણ કરાયા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ તાજેતરમાં એવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મરિન એજન્સીએ આંતરરાષ્ટ્રીય જળસીમાથી દૂર રહીને માછીમારી કરવા માછીમારોને સૂચન આપ્યું હતું તો માછીમારીની નવી સિઝન શરૂ થયા પછી અપહરણનો આ પ્રથમ બનાવ હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ આપેલી માહિતી પ્રમાણે માંગરોળ, ઓખા અને સલાયાની ૩ ફિશિંગ બોટો આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી કરતી હતી અને ત્રાટકેલી પાકિસ્તાન મરિને ત્રણેય બોટ અને તેના ૧૮ ખલાસીઓને બંદીવાન બનાવી લીધા હતા. પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે માછીમારો, બોટમાલિકો, બોટ એસો., પિલાણા એસો. તથા ખારવા સમાજના અગ્રણીઓને જણાવ્યું છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મળેલી માહિતી મુજબ ભારતીય બોટના અપહરણ માટે આઈએમબીએલ નજીક પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter