સૌરાષ્ટ્રમાં ર૪માંથી ૧ર ડેમ ખાલીખમ

Wednesday 26th April 2017 07:16 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રની કમનસીબી રહી છે કે ર૪ જેટલા જળાયશો માત્ર પીવાના પાણી માટે હોવા છતાં ઉનાળાના દિવસોમાં આમાંથી મોટાભાગના ડેમ ખાલીખમ જેવા થઈ ગયા હોય છે. ર૪મી એપ્રિલ, ર૦૧૭ની સ્થિતિએ સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડતા ર૪માંથી ૧ર ડેમ રણ મેદાનમાં ફેરવાઈ ગયા છે. આ ૧ર ડેમમાં પીવાના પાણીનો સ્ટોક ઝીરો છે. બાકી રહેલા ૧ર ડેમમાંથી કેટલાક ૩૧ જુલાઈ અને કેટલાક મે મહિના સુધી માંડ ખેંચી શકે તેમ છે. રાજકોટ, રૂડા અને જેતપુરને પાણી પહોંચાડતા ભાદર ડેમમાંથી ર૭ જાન્યુઆરીથી રાજકોટે પાણી ઉપાડવાનું બંધ કર્યં છે. જેતપુરને ૧૦ જૂન સુધી આ ડેમ પાણી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter