જામનગરઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂથી ૨૮મી માર્ચે ૨૪ કલાકમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે રાજકોટમાં ૨૯મી માર્ચે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ૪૦ વર્ષીય મહિલાનું ૨૯મીએ જામનગરમાં મૃત્યુ નિપજ્યું હતું.
આ પછી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પોરબંદર પંથકના દેવસીભાઈ (ઉં ૫૫) અને રાણાવાવના ૬૦ વર્ષીય રૂપાબેન ખૂંટીના મૃત્યુ નીપજ્યા હતા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.