હનુમાનજીને એક કિલો સોનાનાં વાઘા અર્પણ

Wednesday 08th April 2015 07:53 EDT
 
 

રાજકોટઃ શહેરના પ્રસિધ્ધ બાલાજી હનુમાનને હનુમાન જયંતીના દિને અંદાજે રૂ. ૩૧ લાખના ખર્ચે એક કિલો સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરાયા હતાં. સાત મહિનાના અથાગ પરિશ્રમ બાદ તૈયાર થયેલા સુવર્ણવસ્ત્રો હીરા જડિત છે. આ સુવર્ણમય હનુમાનજી દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. રાજકોટના હનુમાનજીના ભક્ત સોની પરિવારના પ્રશાંત કિરીટભાઈ પારડીયાએ એક કિલો સોનાના દાનનો સંકલ્પ પૂર્ણ કરી વાઘા અર્પણ કર્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter