હરિસંસ્કાર કેન્દ્રનું રાજકોટમાં ખાતમુહૂર્ત

Wednesday 18th December 2019 05:54 EST
 

રાજકોટઃ બાળકો, યુવાનો અને બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી એસજીવીપી ગુરુકૂળ, રીબડામાં મૂર્છિત પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક વિધિ સાથે હરિસંસ્કાર કેન્દ્રનું તાજેતરમાં ખાતમુહૂર્ત કરાયું હતું. માવજીભાઈ ઘેલાણી, સાગરભાઈ કોરાટ, જયેશભાઈ સોરઠીયા, જયંતીભાઈ કાચા, જગદીશભાઈ મકવાણા, અમૃતભાઈ બારસિયા, ચંદ્રેશભાઈ ઘેલાણીની ઉપસ્થિતિમાં સ્વ. વલ્લભભાઈ ઘેલાણીનાં પત્ની રતનબા તરફથી ગુરુકૂળને જમીન અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો ઉપસ્થિત હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter