હાઇ કોર્ટ વકીલ મંડળના પ્રમુખની હકાલપટ્ટી

Wednesday 09th May 2018 07:22 EDT
 

અમદાવાદઃ જામનગરમાં વકીલ કિરીટ જોષીની હત્યાના વિરોધમાં હડતાલનો કોલ નહીં આપનાર ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાની હકાલપટ્ટી કરાઈ છે. ચોથી મેએ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. અસીમ પંડ્યાએ વોટ્સએપથી રાજીનામું મોકલ્યું હતું. ગુજરાત હાઇ કોર્ટ એડવોક્ટ એસોસિએશનના ઇતિહાસમાં આ પ્રકારે પ્રમુખની હકાલપટ્ટીની પ્રથમ ઘટના છે.
ચોથીએ યોજાયેલી બેઠકમાં હાઇ કોર્ટના ૩૦૦ જેટલા વકીલો હાજર રહ્યા હતા. જે બેઠકમાં પ્રમુખ પદે અસીમ પંડ્યાને દૂર કરવાના મત માટે મૌખિક મતદાન થતાં મોટાભાગના સભ્યોએ તેમને પદેથી દૂર કરવાનો મત વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter