હિમાચલમાં ભૂસ્ખલન થતા પોરબંદરના ત્રણ પ્રવાસી ફસાયા

Friday 17th April 2015 06:24 EDT
 

પોરબંદરઃ હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે. જેમાં પોરબંદર સહિત ગુજરાતના પાંચ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જોકે આ તમામ સલામત હોવાનું જાણવા મળે છે, પરંતુ પોરબંદરના મહેર યુવાનનો પરિવાર આ બનાવથી ચિંતિત બન્યો છે. પોરબંદરમાં કન્સ્ટ્રકશન અને ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા મહેર યુવાન અમિતભાઈ ભુતિયા અને તેમના અન્ય બે મિત્રો આજથી ૧૦ દિવસ પૂર્વે હિમાચલ ફરવા માટે ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter