૧૧૫ વર્ષથી વધુના ચિરાયુ ગોપાલનંદજીનો દેહવિલય

Wednesday 10th October 2018 07:55 EDT
 

જૂનાગઢઃ અગ્નિ અખાડાનાં પૂર્વ સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજીનું બીજીએ સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનાં બિલખાનાં રાવતેશ્વર આશ્રમમાં નિધન થયું હતું. છેલ્લા દોઢ માસથી તેઓ પથારીવશ હતા. તેમનાં શિષ્યો અને અંતેવાસીઓનાં મતે તેમની વય આશરે ૧૧૫ વર્ષ કે તેથી વધુ હતી.ગોપાલાનંદજીની બિલખા રાવતેશ્વર આશ્રમમાં અસ્થિ સમાધિ બનશે અને અસ્થિ વિસર્જન તીર્થમાં કરાશે. એવું તેમના શિષ્ય મહામંડલેશ્વર કૈલાસાનંદજીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter