ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સફાઈ અભિયાનને પરિણામે શ્રી સોમનાથ મંદિરને ૨જી સપ્ટેમ્બરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકારે શ્રેષ્ઠ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરી છે. હવે ભારત મિશન અંતર્ગત જળશક્તિ મંત્રાલયના સ્વચ્છતા મહોત્સવમાં ગુજરાત પાંચ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ સાથે દેશના તમામ રાજ્યોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. દિલ્હી સ્થિતિ વિજ્ઞાન ભવનમાં છઠ્ઠીએ યોજાયેલા કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યના અગ્રસચિવ એસ.જે. હૈદરને એવોર્ડ એનાયત કરીને ગુજરાતનું સન્માન વધાર્યું હતું.