અમદાવાદઃ ગુજરાત સરકાર અને સ્વિડિશ હોમ ફર્નિશિંગ કંપની આઈકિયા વચ્ચે રાજ્યમાં હોમ ફર્નિશિંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના તાજેતરમાં ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતમાં થયેલા કરાર પર ઉદ્યોગ અગ્રસચિવ મનોજકુમાર દાસ અને આઈકિયા ઇન્ડિયાના પ્રોપર્ટી હેડ ડેવિડ મેકકોસલેન્ડે હસ્તાક્ષર કર્યાં હતાં. મનોજકુમાર દાસે જણાવ્યું કે, ‘આઇકિયાના આગમનથી રાજ્યમાં રૂ. ૨૦૦૦થી રૂ. ૩૦૦૦ કરોડનું કરોડનું અંદાજિત રોકાણ આવશે. તેમજ ૨,૦૦૦ લોકોને પ્રત્યક્ષ અને ૩,૦૦૦ લોકોને પરોક્ષ રોજગાર સાથે કુલ પાંચ હજાર લોકોને રોજગારી મળશે. આઈકિયા દ્વારા હોમ ફર્નિંશિગ ક્ષેત્રમાં ઉત્પાદકીય જ્ઞાન, કૌશલ ટ્રાનસફર, રિટેલ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યના હોમ ફર્નિંશિંગ રિટેલ સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ અને આર્થિક વૃદ્ધિ થશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટમાં સમયસર અને ત્વરિત અમલ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.