અમદાવાદઃ વડા પ્રધાન નરેનદ્ર મોદીના માતા હીરાબાએ પણ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. વડા પ્રધાને ૧૧ માર્ચે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી દેશ-દુનિયાને આ જાણકારી આપી છે. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘એ વાત જણાવતા મને આનંદ થાય છે કે મારી માતાએ કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ આજે લીધો છે.’
વડા પ્રધાન મોદીએ ટ્વિટમાં વધુમાં એ પણ જણાવ્યું હતું કે ‘હું દરેકને અનુરોધ કરું છું કે કોરોનાની વેક્સિન લેવા માટે લાયક હોય તેવા તમારી આસપાસના લોકોને તમે મદદ કરો અને વેક્સિન લેવા માટે તેઓને પ્રોત્સાહિત કરો.’ હીરાબાએ આ ઉંમરે પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને વેક્સિન લેતા ગભરાઈ રહેલા લોકો માટે એક આદર્શ પૂરો પાડ્યો છે. વડા પ્રધાનના માતાએ વેક્સિન લેતા હવે ઉંમરલાયક લોકોએ પણ કોરોનાની રસીથી જરાપણ ગભરાવવાની જરૂર નથી. એ પ્રકારનો સ્પષ્ટ સંદેશો મળી જાય છે.