હોંગકોંગમાં ક્વોરેન્ટાઈનની મુદ્દત વધતાં હીરાઉદ્યોગ ચિંતાગ્રસ્ત

Friday 24th July 2020 06:43 EDT
 

સુરતઃ કોરોના સંક્રમણ વચ્ચે હોંગકોંગ દ્વારા તકેદારી રૂપે વિદેશીઓ માટે ક્વોરેન્ટાઈન રહેવાના નિયમ પાલનની મુદત વધારી દીધી છે. અગાઉ સપ્ટેમ્બર માસ સુધી નિયમ અમલી બનાવાયો હતો. જે મુદ્દત વધારીને ડિસેમ્બર માસ સુધીની કરાઈ છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હોંગકોંગ મહત્ત્વનું સેન્ટર છે. વાયા હોંગકોંગ પોલિશ્ડ ડાયમંડનો મોટો વેપાર થાય છે. હોંગકોંગથી જેમ જ્વેલરીનું વૈશ્વિકબજારમાં નોંધપાત્ર ટ્રેડિંગ થાય છે, પરંતુ હાલમાં કોરોનાની પરિસ્થિતિને કારણે હોંગકોંગ સાથે હીરાનો વેપાર મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter