ગુજરાતી ફિલ્મોને બચાવવાના હેતુથી ગુજરાત સરકારે પગલાં લીધા છે. આ માટે ૧ એપ્રિલથી ગુજરાતનાં તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરે અઠવાડિયામાં બે વખત ગુજરાતી ફિલ્મ ફરજિયાત દર્શાવવા આદેશ કર્યો છે. જોકે આ આદેશથી ગુજરાતી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકો ખુશ નથી. તેમની દલીલ છે કે અઠવાડિયામાં બે શો ગુજરાતી ફિલ્મને ફાળવવાથી આખો ફિલ્મ ઉદ્યોગ બચી જાય એવું વિચારવું સહેજ પણ અયોગ્ય છે. અભિનેતા અરવિંદ ત્રિવેદીએ કહે છે કે, ‘ગુજરાત સરકારે આ નિર્ણય લીધો એ સારી વાત છે, પરંતુ અઠવાડિયાના બે શો બહુ ઓછા કહેવાય. મારી દૃષ્ટિએ દરરોજ જો એક શો બતાવવાનો નિયમ હોય તો તેનો બહુ મોટો લાભ ગુજરાતી ફિલ્મોને થશે.’