અમદાવાદ: ગુજરાતના ઉંમરગામથી અંબાજી સુધીની પૂર્વપટ્ટીના ૧૪ જિલ્લાઓમાં આદિવાસી સમાજની દીકરીઓના ધર્મપરિવર્તન માટે દલાલો, વચેટિયાઓ, એજન્ટ્સ અને સિન્ડિકેટ ગેન્ગ રેકેટ ચલાવતી હોવાનો આક્ષેપ સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પહેલી એપ્રિલે ગૃહમાં કર્યો હતો. ધર્મપરિવર્તન કરવાની ના પાડનારી યુવતીઓ સ્ત્રીઓને માનસિક યાતના, શારીરિક ત્રાસ આપવામાં આવે છે. તેમને પ્રેમજાળમાં ફોસલાવીને પછી તેમને ધર્માંતર કરવા મજબૂર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લવ જેહાદની સંખ્યાબંધ ફરિયાદો નોંધાયેલી છે. ૧૪થી ૧૬ વર્ષની સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાનો તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવાના ગુનાઓ આચરી રહ્યા છે. આ પૂર્વે પ્રદીપ જાડેજાએ આપેલા ઉદાહરણોમાં નડિયાદમાં મેડિકલમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષની દીકરીને ૪૪ વર્ષના વિધર્મી બુટલેગરે યુક્તિ-પ્રયુક્તિથી સહી મેળવી લઈને બ્લેક મેઈલ કરીને રાજસ્થાનના માલવી ગામથી નિકાહનું પ્રમાણપત્ર (જે બોગસ નીકળ્યું હતું) મેળવી બ્લેકમેઈલ કરી હોવાનું જણાવ્યું હતું. એક અન્ય કિસ્સામાં નિશારખાન ઘાસુરા નામનો આરોપી ૧૭ વર્ષ ૧ મહિનાની સગીરાને ફોસલાવી ઘરેથી ભગાડી ગયો અને રાજસ્થાન જઈને ખોટા દસ્તાવેજો બનાવી લગ્નની નોંધણી કરાવી હોવાનો કિસ્સો પાલનપુર સિટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બહુચર્ચિત કેસમાં ૨૬ વર્ષની હિન્દુ યુવતીએ વિધર્મી પુરુષ સાથે પ્રેમલગ્ન કર્યા પણ દોઢ વર્ષના લગ્નબાદ ધર્મ પરિવર્તનને મુદ્દે ઝઘડો થતાં સાત માસના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીજા એક કેસમાં હનીફખાન સાથે નિકાહ પઢનાર યુવતીને સાંચોરમાં નિકાહનામાને નોટરાઈઝ કરાવી મુસ્લિમ ધર્મપરિવર્તન
કરાવ્યું હતું.