અમદાવાદઃ ૨૦૦૨ના કોમી તોફાનોના બદલો લેવા આતંકી હુમલા અને રાજકીય નેતાઓની હત્યાનું જેહાદી ષડયંત્ર ઘડનાર લાલ મસ્જિદના મૌલવી મુફ્તી સુફિયાન પતંગિયાને ત્રણ-ત્રણ વાર રોક્ડ રકમનું ફંડિંગ આપનારો મહંમદ યુસુફ ૧૬ વર્ષે ઝડપાયો છે. મહંમદ યુસુફે જેહાદી ષડયંત્રમાં પકડાયેલા આરોપી અબ્દુલ લતિફ ગુલામઅલી પટેલ સાથે જેહાદના કામ ફંડિંગની વાત ફોન પર કરી હતી. એ પછી ત્રણ વખત પૈસા આંગડિયા પેઢી મારફતે મુફ્તી સુફિયાનને મોકલી આપ્યા હતા અને જેહાદીઓને ભાગવામાં મદદ પણ કરી હતી. સાઉદી અરેબિયાના જીદાહમાં લેડિઝ ગારમેન્ટનો બિઝનેસ કરનારા મહંમદને બાતમીને પગલે ક્રાઈમબ્રાંચ અને એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.