અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભગવાન રામનું મંદિર બની રહ્યું છે ત્યારે શ્રીરામ શિલાપૂજનને ૩૦ વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદે ૨૫ માર્ચથી ૭-૮ એપ્રિલ (હનુમાન જયંતી) સુધી અમદાવાદ સહિત દેશભરમાં રામોત્સવનું આયોજન કર્યું છે. રામોત્સવમાં બે લાખથી વધુ સ્થળે પદયાત્રા સાથે પ્રાણોની આહુતિ આપનારા કારસેવકોનું સ્મરણ અને સન્માન પણ કરાશે તેમ વિહિપના મહામંત્રી મિલિન્દ પરાંડેએ જણાવ્યું હતું.