૭૦ ટકા લોકો ભૂખ્યા હોય તે દેશમાંં લોકશાહી ન કહેવાય

Wednesday 20th September 2017 08:26 EDT
 

અમદાવાદ: સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટીસ જે. ચેલમેશ્વરે ૧૬મી સપ્ટેમ્બરે અમદાવાદમાં આવેલી જીએલએસ લો કોલેજમાં લેકચર સિરીઝમાં બોલતા જણાવ્યુ હતું કે, દેશના ૭૦ ટકા લોકો ભૂખ્યા હોય ત્યારે તે દેશને ગણતંત્ર ન કહી શકાય. તાજમહેલ બંધાયો ત્યારે પણ દેશના કેટલાક લોકોના હાથમાં જ અઢળક સમૃદ્ધિ હતી જયારે આજે પણ તે સ્થિતિમાં ઘણો મોટો બદલાવ આવ્યો હોય તેવું નથી. દેશના બંધારણના આમુખમાં જ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સુખાકારીની ભાવના વ્યકત કરાઈ છે ત્યારે આજે પણ હજુ તે ધ્યેય સુધી પહોંચવાનું બાકી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter