પાલનપુરઃ લાખણી તાલુકાના ઠાકોર સમાજે ટિકટોક પર પ્રતિબંધ ફરમાવતાં જણાવ્યું છે કે, ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઇ તૂટે છે. રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠાકોર સમાજની યુવતીનો કોઇ વીડિયો ઉતારશે તો પણ કાર્યવાહી કરાશે અને ૨૫ યુવાનોની ટીમ બનાવી આ પ્રતિબંધ પર કડક અમલ કરાવાશે.
લાખણી તાલુકાના ઠાકોર સમાજના અને ઠાકોર સેનાના આગેવાનોએ રવિવારે બેઠક યોજીને સમાજના યુવાનો અને યુવતીઓ પર ટિકટોક વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ લાખણીના ઠાકોર સમાજે યુવતીઓને મેળામાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સમાજ દ્વારા બનાવાયેલા આ નવા નિયમ અંગેના કારણ આપતા જણાવાયું હતું કે, ટિકટોક વાપરવાથી સમાજની દીકરીઓની સગાઇ તૂટી જાય છે અને દીકરીઓ બદનામ થાય છે.