‘ભારત દર્શન’માં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો સમાવેશ

Wednesday 27th February 2019 06:51 EST
 

નવી દિલ્હીઃ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા લોકો માટે રેલવે એક ખાસ ટ્રેન દોડાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટન થયાના પાંચ મહિના બાદ મંત્રાલય દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે એક ખાસ સેવાની જાહેરાત કરી છે. સરકારની ભારત દર્શન યોજના અંતર્ગત આઠ દિવસ અને સાત રાત્રિનું એક ટુર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter