નવી દિલ્હી: આજકાલ ભારતમાં તુર્કીયે વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો તેવા અહેવાલ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ‘બોયકોટ તુર્કીયે’ ઝુંબેશ ચાલી રહી છે. તુર્કીયે સાથે વેપાર સહિત તમામ પ્રકારના સંબંધોનો અંત લાવવાની માંગ છે.
બીજી તરફ, ભારત સરકારે તુર્કીયેની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડનું સુરક્ષા મંજૂરી રદ કરી દીધી હતી. આ કંપની ભારતના ઘણા એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડતી હતી. આમાં દિલ્હી, કોચીન, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને ગોવા જેવા મુખ્ય એરપોર્ટ સમાવેશ થાય છે. એવો દાવો થાય છે કે તેણે ભારતમાં 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જોકે આ તો શરૂઆત છે. પાકિસ્તાન સાથેની મિત્રતા તુર્કીયે માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે.
કેટલીક ટ્રાવેલ વેબસાઇટ્સે ભારતીયોને તુર્કીયેની મુસાફરી ટાળવા સલાહ આપી છે તો ઘણી એજન્સીએ તો તુર્કીયેનું બુકીંગ જ બંધ કરી દીધું છે. આ જ રીતે, ઘણા વેપારીઓએ તુર્કીયેમાંથી સફરજન ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર #BoycottTurkey ટ્રેન્ડ કરી રહ્યું છે. ગોવા વિલા’સએ તુર્કીયેના નાગરિકોને ગોવામાં રહેવાની સુવિધા ન આપવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે ઉદયપુરના આરસપહાણના વેપારીઓ કહે છે કે તેમણે તુર્કીયે સાથેનો વ્યવસાય સમાપ્ત કરી દીધો છે. ભારત સાથે છેડછાડ કરીને, તુર્કીને લગભગ 4.6 બિલિયન એટલે કે આશરે 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ભારત-તુર્કીયે વેપાર
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને તુર્કીયે વચ્ચેનો વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે. 2022-23માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 13.8 બિલિયન ડોલરને વટાવી ગયો હતો. જોકે, 2023-24માં તેમાં થોડો ઘટાડો થયો હતો અને વેપાર 1043 બિલિયન ડોલર રહ્યો હતો. આમાંથી, ભારતે તુર્કીયેને 665 બિલિયનનો માલ વેચ્યો અને તેમાંથી 3.78 બિલિયનનો માલ ખરીદ્યો હતો. ભારત મુખ્યત્વે વાહનો, રસાયણો અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ તુર્કીયેમાં નિકાસ કરે છે અને ત્યાંથી
ઈંધણ, મશીનરી, સિમેન્ટ અને સૂકા ફળોની આયાત કરે છે.
ઘણી ટર્કિશ કંપનીઓ ભારતમાં લોકપ્રિય થઈ છે. જેમાં ગોડિવા, ઉલ્કર અને એલસી વૈકીકીનો થાય છે. આ ઉપરાંત, ટર્કિશ સ્કિનકેર અને પર્સનલ કેર બ્રાન્ડ્રસ પણ ભારતમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં ભારત અને તુર્કીયે વચ્ચેના વેપારને અસર થઈ શકે છે. ઘણા વેપાર સંગઠનોએ તુર્કીયેમાંથી આયાત-નિકાસ બંધ કરવાની ત્યાં ઉઠાવી છે. જે આયાત અને નિકાસ બંધ થઈ જાય તો તે તુર્કીયેને પ્રવાસન અને વેપાર બંને મોરચે નુકસાન પહોંચાડી શકે છે.
સીધું વિદેશી મૂડીરોકાણ
એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2023 સુધીમાં તુર્કીયેએ ભારતમાં કુલ 227 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. ભારતીય કંપનીઓએ ઓગસ્ટ 2000 થી માર્ચ 2024 દરમિયાન તુર્કીયેમાં લગભગ 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દેશભરમાં ચાલી રહેલા તુર્કીયેના રોકાણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા જઈ રહી છે. તુર્કીયેની કંપનીઓ દેશના પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ દિલ્હી, મુંબઈ ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં આઈટી, મેટ્રો રેલ અને ટનલ સહિત વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
આ ઉપરાંત, તુર્કીયેની કંપનીઓએ ભારતમાં બાંધકામ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. કેન્દ્ર સરકારે આ કંપનીઓના તમામ સરકારી અને ખાનગી પ્રોજેક્ટ્સ વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ કંપનીઓની ભૂમિકા અને શેરહોલ્ડિંગની સમીક્ષા કર્યા પછી, જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે જો રાષ્ટ્રીય હિતને અસર થાય છે, તો આ કંપનીઓને પ્રોજેક્ટ્સમાંથી પણ દૂર કરી શકાય છે.
પ્રવાસન ઉદ્યોગ
ગયા વર્ષે લગભગ 3.3 લાખ ભારતીય પ્રવાસીઓએ તુર્કીયેની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમનો સરેરાશ ખર્ચ 1.2 લાખ રૂપિયા હતો. તુર્કીયેના આતિથ્ય ઉદ્યોગ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુર્કીયે ભારતીયોમાં લગ્ન માટે એક પ્રિય સ્થળ તરીકે પણ ઉભરી આવ્યું ભારતીય પ્રવાસીઓએ તુર્કીયેમાં લગભગ 400 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. તાજેતરના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોએ તુર્કીયે જવાનું બુકિંગ રદ કર્યું હતું.