કાશ્મીર સમસ્યા યુએન ઠરાવ મુજબ ઉકેલવી જરૂરીઃ પાક. વડા પ્રધાન

Wednesday 24th August 2022 06:39 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પાકિસ્તાનની મુલાકાતે આવેલા હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિનો ઉપાય દર્શાવતા કહ્યું કે યુએનના ઠરાવ મુજબ કાશ્મીર સમસ્યા ઉકેલી લેવામાં આવે તો જ ભારત પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાશે. શેહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છે છે. તે માટે કાશ્મીરની સમસ્યા ઉકેલવી અનિવાર્ય છે. યુદ્ધના રસ્તે આ સમસ્યા ઉકેલી બંને દેશોને પોસાય એમ નથી. તેથી વાટાઘાટો દ્વારા જ તેનો ઉકેલા લાવી શકાય. તે માટે યુએનના ઠરાવને સ્વીકારી લેવો એ શ્રેષ્ઠ રસ્તો છે.
કાશ્મીરમાં દખલ ન થાય તો શાંતિ સ્થપાય
ભારત સતત કહેતું રહ્યું છે કાશ્મીર ભારતનો અવિભાજ્ય ભાગ હતું, છે અને હંમેશાં રહેશે. તે અંગે અન્ય કોઈ દેશે કશું કહેવાની કે પ્રતિભાવ આપવાની જરૂર નથી. સાથેજ ભારત હંમેશાં કહેતું રહ્યું છેકે પાકિસ્તાન સાથે આતંકવાદ, આક્રમકતા અને હિંસામુક્ત શાંતિમય સંબંધો જાળવવા ઇચ્છુક છે. આતંકવાદ, હિંસા ભડકાવવાનું પાકિસ્તાન બંધ કરે કે તરત શાંતિ સ્થપાઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter