નાઈરોબીઃ ઈન્ડિયા હાઉસ, નાઈરોબી ખાતે ભારતના 80 મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં આરાધના ત્રિવેદીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનના ઈનિશિયેટિવ હેઠળની ‘માય ઈન્ડિયા સ્ટોરી’ સ્પર્ધામાં તેઓ પ્રાઈઝનાં વિજેતા બન્યાં હતાં. કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાનાૈ હસ્તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ મેળવવાં બદલ આરાધના ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેન્યામાં રહેવા સાથે તેઓએ ભારતની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાં બદલ ભારે કૃતજ્ઞતા અનુભવે છે. આ પ્રસંગને ગૌરવશળી અને વિનમ્ર પળ તરીકે ગણાવતાં તેમણે ઉમેર્યું હતું કે તેમની ઈન્ડિયા સ્ટોરી તેમને ભારત સાથે સાંકળી રાખતાં સંસ્મરણો, પરંપરાઓ, રંગો, લોકો અને અનુભવો વિશે છે.
ઈન્ડિયા હાઉસ, નાઈરોબીમાં 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસ, વંદે માતરમ્ એક્ઝિબિશન અને પરંપરાગત ભારતીય વાનગીઓનાં રસાસ્વાદનો સમાવેશ થયો હતો.


