પત્નીને ત્યજી દેનારા વિદેશી ભારતીય પતિ સામે ધારો

Thursday 29th November 2018 07:29 EST
 

નવી દિલ્હીઃ વિદેશી પતિ દ્વારા પત્ની ત્યજી દેવાની વધતી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજૂ કરાશે તેમ વિદેશ બાબતોના પ્રધાન સુષમા સ્વરાજે ૨૮મીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દૂષણને દૂર કરવા માટે અમે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પત્નીનો ત્યાગ કરનારા ૨૫ એનઆરઆઈ પતિઓના પાસપોર્ટ રદ્દ કરી દેવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter