પાકિસ્તાન ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છેઃ જયશંકર

Friday 29th March 2024 04:30 EDT
 
 

સિંગાપોર: ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા મેટર્સ’ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમને પાકિસ્તાન પર સવાલ પૂછતાં તેમણે આમ કહ્યું હતું. જયશંકરે એમ પણ કહ્યું કે દરેક દેશ શાંત પડોશી ઈચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter